દારૂ ન પીવે તે ગધેડો કહેવાય!
22 Oct 2010 7 Comments
in જોક્સ Tags: gujarati jock
પૃથ્વીરાજ બાપુ વારંવાર દારૂ પીને ઘરના તથા પડોશના લોકો ને હેરાન કરતાં.
તબિયત વધુ બગડે ત્યારે દવાખાને દાખલ કરતા.
ગિરનારથી આવેલા સાધુએ બંધાણી પૃથ્વીરાજ બાપુ ને બોધ આપવા એક પ્રયોગ કર્યો!,
સાધુ પૃથ્વીરાજ બાપુ ના ઘેર ગયા.
બાપુને બહાર બોલાવ્યા.
એક ગધેડાની સામે એક બાલટી માં પાણી ભર્યું ને એક બાલટી માં દારૂ ભર્યો.
ગધેડાએ પાણી પીધું, દારૂ ના પીધો!
સાધુએ બાપુ ની સામે જોઈ પૂછ્યું, ‘શું શીખ્યા બાપુ?’
બાપુએ આંખ ઝીણી કરી સાધુની આસપાસ ઉભેલા લોકો સામે જોઈ કહ્યું, ‘ગધેડાઓ આટલું નથી સમજતા! જે દારૂ ન પીવે તે ગધેડો કહેવાય!’ આટલું બોલી બાપુ દારૂની બાલટી ઉપાડી ઘરમાં લઇ ગયા!!!






Oct 22, 2010 @ 20:15:02
ડોકટર સાહેબ જોરદાર જોકસ .
Oct 23, 2010 @ 11:07:44
હા હા હા હા !….. બહુ સરસ !
Nov 25, 2010 @ 03:57:26
બહુજ સરસ જોક્સ .
Jan 23, 2011 @ 13:48:30
આદરણીય ડો. શ્રી ભરતભાઈ,
ખુબ જ મઝાનો જોક્સ છે. ખુબ સરસ.
આજે હું પણ પ્રયાગ ના પવિત્ર સંગમે પધાર્યો છું
Jan 23, 2011 @ 23:02:24
ખુબ સરસ જોક્સ , ડોક્ટર સાહેબ.
Mar 17, 2011 @ 00:36:39
Bharatbhi,
Read the Post !
બાપુએ આંખ ઝીણી કરી સાધુની આસપાસ ઉભેલા લોકો સામે જોઈ કહ્યું, ‘ગધેડાઓ આટલું નથી સમજતા! જે દારૂ ન પીવે તે ગધેડો કહેવાય!’ આટલું બોલી બાપુ દારૂની બાલટી ઉપાડી ઘરમાં લઇ ગયા!!!
The Post ended with the above words !
આ વાતને આગળ ચલાવીએ…
થોડા દિવસો બાદ, સાધૂ ફરી બાપુના ઘર પાસે આવ્યા.
બાપુ ઘર બહાર આવ્યા.
સાધુએ બોટલમાં એક “મિક્ષ્ચર” ભર્યું..( જેમાં હતી ઘેનની દવા).
ગધેડાએ તો તરત બોટલ ખાલી કરી..અને ભોંય પર પડ્યો.
ત્યારે સાધુએ બાપુને કહ્યું…
“બાપુ..દારૂ ના છોડશો તો આવી હાલત થશે !”
બાપુ ચુપ હતા !
>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting you & your Readers to Chandrapukar !
Aug 10, 2011 @ 12:03:50